કુલ પૃષ્ઠ અવલોકનો

સોમવાર, 17 સપ્ટેમ્બર, 2012

શું એમના પેટ ચીરવા જોઇએ?


વિજયનગર તાલુકાના વણજ ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન યોજનાના સાપ્તાહિક મેનુનું આ બોર્ડ જણાવે છે, સોમવારે બાળકોને 180 ગ્રામના (માપી તોલીને) ખીચડી-શાક આપવામાં આવે છે, જેમાં 100 ગ્રામ ચોખા, 20 ગ્રામ કઠોળ, 10 ગ્રામ તેલ રહેશે. તબીબીશાસ્ત્ર કહે છે કે, એકથી ત્રણ વર્ષના તંદુરસ્ત બાળકને રોજ તેના પાઉન્ડ (એક કિલોના 2.20 પાઉન્ડ થાય) વજન દીઠ 0.55 ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે. પાંચમા ધોરણમાં ભણતા બાળકનું વજન માત્ર વીસ કિલો હોય તો પણ તેને 20 ગ્રામ કરતા વધારે પ્રોટીનની જરૂર પડે.

હવે આ આંકડાઓના સંદર્ભમાં ગુજરાત સરકાર આદિવાસી બાળકોની મધ્યાહ્ન ભોજન યોજનાના નામે કેવી મશ્કરી કરે છે તે જુઓ. મોદી સરકારના પ્રધાન મંડળમાં પેલો પાડા જેવો, મુંબઇનો એક વેળાનો ગુંડો, પુરુષોત્તમ સોલંકી જુઓ. આ લોકો રોજ કેટલું ઝાપટે છે (અન્ન અને પ્રજાનો પૈસો બંને) એની જાણકારી ગુજરાત હાઇકોર્ટ આપશે કે પ્રજાએ એમના પેટ ચીરવા પડશે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો