કુલ પૃષ્ઠ અવલોકનો

મંગળવાર, 27 નવેમ્બર, 2012

બાળ મજુર અને ગાંધીનગરના કાનખજુર


ગુજરાતમાં 1999થી 2010ના દસકા દરમિયાન 4391 બાળ મજુરોને "મુક્ત" કરવામાં આવ્યા. મોદી સરકારની કાર્યક્ષમતાનો આ નમૂનો છે. "મુક્ત કર્યા" એ શબ્દ વિષે થોડું સ્પષ્ટીકરણ. શ્રમ વિભાગ બાળ મજુરના કહેવાતા પુન:સ્થાપન માટે અગરબત્તી બનાવવાની કિટ આપે છે. બાળ મજુર (પ્રતિબંધ અને નિયમન) ધારો 1989 હેઠળ અગરબત્તી બનાવવાની પ્રક્રિયા પ્રતિબંધિત છે. "મુક્ત કરાયેલા" બાળકો તેમના માતાપિતા, માલિકો અને જુવેનાઇલ હોમવાળા વચ્ચે ભીંસાય છે. જુવેનાઇલ હોમમાં કહેવાતી ચાઇલ્ડ હેલ્પલાઇન બાળકોને "ડમ્પ" કરવા સિવાય ખાસ કંઈ કરતી નથી. તમને એ જાણવાની ઇચ્છા છે કે વર્ષ 2002માં શ્રમ વિભાગે કેટલા બાળકોને "મુક્ત કર્યા" હતા? માત્ર નવ. એ વર્ષે સમગ્ર સરકારી તંત્ર માણસોના કંકાલો ગણવાની કામગીરીમાંથી નવરું જ નહોતું પડ્યું.  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો