"દાદાજી મને વાર્તા કહોને," નરેન્દ્રએ દાદાજીના બેડરૂમમાં જઇને એમની ચાદર ખેંચતા
કહ્યું. "કેમ ઉંઘ નથી આવતી, રાત્રીના અગીયાર વાગ્યા, બેટા."
"મમ્મી-પપ્પા, એમના રૂમમાં લેઇટ નાઇટ ફિલ્મ જુએ છે.
મારી સાથે કોઈ વાત જ કરતું નથી."
"સારુ સાંભળ," દાદાજીએ નરેન્દ્રને ગોદમાં લીધો.
"કાલવાળી વાર્તામાં પછી શું થયું? પેલી વૃંદાનું, દાદાજી."
"ત્યારબાદ જલંધરના રૂપે આવેલા શ્રીહરિ વિષ્ણુએ તેમનુ
ચતુરભૂજ સ્વરૂપ પ્રગટ કરી વૃંદાને તેના
શીલભંગનો હેતુ જણાવ્યો. નારાયણને સાક્ષાત નજર સામે નિહાળી વૃંદા ક્ષમાયાચનાસહ
શ્રીહરિ વિષ્ણુના પગમાં પડી રડવા લાગી."
"પુઅર ગર્લ. સો ક્રુઅલ હર ડેસ્ટીની વોઝ," નરેન્દ્ર બોલ્યા વિના રહ્યો નહીં.
"અરે, એવું નથી, સાંભળ. પ્રાયશ્ચિતના પવિત્ર જળમાં
તરબોળ વૃંદાને આશ્વાસન આપતાં શ્રીહરિ વિષ્ણુએ કહ્યું, " હે સતી, મેં સૃષ્ટિના કલ્યાણ માટે તારું શીલભંગ કરી
તને તારા પતિથી વિમુખ કરી. હવે હું તને તરછોડીશ નહીં. તારા શાપથી હું જરૂર કાળો
પથ્થર (શાલીગ્રામ) બનીશ. તું પણ આશીર્વાદથી તારું આ કલંકિત શરીર છોડી પવિત્ર તુલસી
(વનસ્પતિ) બનીશ. હું તને પરણીને તને પત્નીનું સ્થાન આપીશ. તારા પર્ણદલ વગર મારી
પુજા અને ભોજન હંમેશાં અધૂરાં રહેશે. તને સદૈવ મારા સાનિંધ્યમાં રાખીશ."
"વેલ, દાદા. પણ આ મામલો સુપ્રીમ કોર્ટને સોંપી દેવા
જેવો હતો. એક બળાત્કારીને બળાત્કારનો ભોગ બનનાર સ્ત્રી સાથે લગ્ન કરાવનાર ખાપ
પંચાયત પર વિદ્વાન ન્યાયમૂર્તિઓએ એક "સ્ટ્રિક્ચર" પસાર કર્યું હતું, ખબર છે?"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો