દલિત હક રક્ષક મંચના સ્ટિંગ ઓપરેશને એનસીપીસીઆરને ગુજરાત આવવાની ફરજ પાડી
વાદી પ્રતાપ (12 વર્ષ) |
નેશનલ કમિશન ફોર ધી પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર)ના અધ્યક્ષને એક પત્ર પાઠવીને દલિત હક રક્ષક મંચ (ડીએચઆરએમ)ના સેક્રેટરી રાજેશ સોલંકીએ ઉત્તર ગુજરાતમાં બીટી કોટનના ખેતરોમાં બાળ મજુરીના સમર્થનમાં વધુ પુરાવા પૂરા પાડ્યા છે. આ પત્ર એ સમયે લખવામાં આવ્યો છે, જ્યારે ગુજરાત સરકાર રાજ્યના કોઇપણ ભાગમાં બીટી કોટનમાં બાળ મજુરીનું અસ્તિત્વ હોવાનું ઝનુનપૂર્વક નકારી રહી છે.
બીટી કોટનના ખેતરોમાં બાળ મજુરીના નિર્મૂલન માટેના ચીફ કેમ્પેનર સોલંકીએ જણાવ્યું છે કે, "સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓના ગામોમાં બીટી કોટનના ખેતરોમાં ડીએચઆરએમના કર્મશીલોએ તાજેતરમાં કરેલા સ્ટિંગ ઓપરેશનં શોષણના ઘાતકી ચહેરાને ખુલ્લો કર્યો છે." ગુજરાતના બીટી કોટનના ખેતરોમાં બાળ મજુરી અંગેની ફરિયાદોની તપાસ કરવા એનસીપીસીઆર તેના પ્રતિનિધિમંડળને મોકલવાનું હતું, પરંતુ રાજ્ય સરકારની વિનંતી પછી કમિશને તેની મુલાકાત પડતી મૂકી હોવાથી ઉપરોક્ત સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સોલંકીએ ઉમેર્યું હતું કે, "અમારી કેમેરા ટીમે જાનના જોખમે છેલ્લા પંદર દિવસથી રીતસર કેદમાં રખાયેલા બાળ મજુરોના ફોટા લીધા છે અને તેમની ઇન્ટર્વ્યૂ રેકોર્ડ કર્યા છે." તેમના "રૂઢિચુસ્ત અંદાજ" પ્રમાણે, ગુજરાતમાં બીટી કોટનના ખેતરોમાં હાલ લગભગ એક લાખ બાળ મજુરો કામ કરી રહ્યા છે.
બુંદડીયા નરેશ (વર્ષ 11) |
એક ફોટો બનાસકાંઠા જિલ્લાના દીયોદર તાલુકાના રવેલ ગામે 11 વર્ષના બુંદડીયા નરેશ ઓગણભાઈ અને દસ મજુરો અને ઓછામાં ઓછા ચાર બાળ મજુરોનો છે. તે બધા સાબરકાંઠ જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના પોશીના પાસેના જીજનાત ગામના છે. સોલંકીનો પત્ર જણાવે છે, "તેમને પાંચ જ દિવસમાં પાછા મોકલી દઇશું એમ કહેવામાં આવ્યું હતું, હવે તેમને ખેતરોમાં કામ કરવાની ફરજ પડાઈ રહી છે," નરેશનો 12 વર્ષનો ભાઈ બુંદડીયા કિરણ ઉદાભાઈ માળી સુખાજી ગણેશજીના ખેતરમાં કામ કરી રહ્યો છે. સોલંકી કહે છે, "સાબરકાંઠા જિલ્લામાં થયેલા બીજા સ્ટિંગ ઓપરેશનમાં જણાયું છે કે અહીં ખેડુતો આદિવાસી જિલ્લા પંચમહાલમાંથી બાળ મજુરોની આયાત કરી રહ્યા છે ...... ચાર બાળકો સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકના ઇડર ગામે હીરા રેવા પટેલના ખેતરમાં કામ કરી રહ્યા છે. તેમાં બામણીયા પિયુષ મકનાભાઈ (10 વર્ષ), વાદી અર્જુન ચીમનભાઈ (8 વર્ષ), વાદી પ્રતાપ ઇશ્વરભાઈ (12 વર્ષ) અને વાદી નરેશ બાબુભાઈ (15 વર્ષ)નો સમાવેશ થાય છે. તે બધા સંતરામપુર ગામ (તાલુકો સંતરામપુર, જિલ્લો પંચમહાલ)ના છે.
ગુજરાતના કોઇપણ ગામડામાં બીટી કોટનના કોઇપણ ખેતરમાં પ્રવેશવું સરળ નથી |
ડીએચઆરએમ આ બાબતમાં એનસીપીસીઆરના હસ્તક્ષેપ કરે તેવો આગ્રહ રાખી રહ્યું છે. જોકે, સોલંકી કહે છે તેમ, "ગુજરાત સરકાર આ બાબતમાં ગંભીર નથી. આ વર્ષે પણ છેલ્લી ઘડીએ ગુજરાત સરકાર એનસીપીઆરની ટીમની ગુજરાતની મુલાકાત રદ કરાવવામાં સફળ રહી છે. હવે, બીટી કોટનની સીઝન પતવા આવી છે. અમારા પુરાવાના આધારે, એનસીપીઆર કોઇપણ પ્રતિષ્ઠિત, લાયકાત ધરાવતા બાળ અધિકાર કર્મશીલને (ગયા વર્ષે સોંપી હતી તેમ) તપાસ સોંપી શકે છે, અને એ કર્મશીલ બીજા વર્ષ સુધી તેમની પવિત્ર તપાસ લંબાવશે!"
(સૌજન્ય કાઉન્ટરકરન્ટ વેબસાઇટના સૌજન્યથી, 23 સપ્ટેમ્બર, 2011)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો